Tuesday 26 February 2013

MY MOBILE PHOTOGRAPHY - birds and snakes at sundarvan "ahmedabad"












દર રવિ વારે કૈક ને કૈક આયોજન હોય કે શું કર્યે? ક્યાં ફરવા જવું? સમય કેમ પસાર કરવો? એટલે અમે મિત્રો એ આ વખતે વિચાર્યું કે ક્યાંક ફરવા જઈયે.એટલા માં એક મિત્ર એ અમદાવાદ ની સુંદર જગ્યાઓ ની માહિત સાથે નો નકશો કાઢ્યો અને પછી બધી જગ્યાઓ માં એક સુંદરવન નજીક. એટલે અમે મિત્રો સુંદરવન ની સફર કરવાનું વિચાર્યું અને નીકળીગયા. ખુબજ આનંદ, મોજ, મજાક મસ્તી સાથે સાંજ ના ૫ વાગ્યા શુંધી અમે મિત્રો એ આ અદભુત અને સુંદર પક્ષીઓ અને સાપ નિહાળ્યા....

Sunday 3 February 2013

nature beauty



http://www.thangadh.com/gallery/bandiyabeli/

પાંચાળ પ્રદેશની પથરાળ અને લાંપડિયાળ ભુમી, સુકી અને વેરાન ધરતી. આ પ્રદેશની વચ્ચો-વચ પ્રકૃત્તીએ પોતાના સૌંદર્યને છુટે હાથે વેર્યુ છે. આ સ્થળ છે ‘બાંડીયાબેલી’. થાનની આજુબાજુના પચાસેક કી.મી.ના વિસ્તારમા નાનકડું જંગલ પથરાયેલું છે. આ જંગલ ‘માંડવ વન’ કે ‘માંડવનુ વીડ’ તરીકે ઓળખાય છે. વનની વચ્ચે ‘બાંડીયાબેલી’નુ મનમોહક સ્થળ આવેલું છે. અહીં જાંબુડા, આંબલી, ગુગળ, કેવડા, પીપળા વગેરે અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે. આ ગીચ વનરાજીને લીધે અહી બારેમાસ વાતાવરણ શીતળ રહે છે.

આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયારૢ વરુૢ ઘોરાડ પક્ષીૢ હુબારા ઘોરાડ અને શિયાળૢ જંગલ બિલાડી મુખ્ય પ્રાણીઓ છે.અન્ય પ્રજાતિઓમાં જંગલી ડુક્કર, સસલા, મુષકળ. અહી મોર, ટીટોડી,અનેક પ્રકાર ની ચકલીઓ, કબર, પોપટ જેવા પક્ષીઓ વધુ પ્રમાણ માં છે. ખાસ કરી ને શિયાળા અને ચોમાસા ના સમય માં અહી અનેક પ્રકાર ના બગલો અને બીજા જળચર પક્ષીઓ આવતા રહે છે.જંગલની અંદર જ ૨૫થી ૩૦ કિલોમીટરનાં રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે. શહેરની ભીડભાડ અને તણાવયુક્ત વાતવરણથી દુર આવેલું આ એક સુંદર અને મનને અદભુત શાંતિ આપનારું મનોરમ્ય પ્રાકૃતિક સ્થળ છે. માંડવનુ વીડ તથા ખારાઘોડા અભિયારણ ના અમુક પક્ષીઓ આપ અહી નીહાળી શકો છો














અદભુત કુદરત "landscape photography"



મિત્રો, હું હરતા ફરતા ફોટા તો પડતોજ રહું છુ. પણ હું ગમેત્યા ફરતો હોવ પણ મને બધેજ કુદરત દેખાય છે.દુનિયા માં પ્રભુ એ nature એટલે કે વ્રુક્ષ, ફળ, ફૂલ, પાંદ, પક્ષી,પશું, આ બધું જ નાં બનાવ્યું હોત તો આ દુનિયા જ ના હોત. આપડા થાનગઢ માં પણ અદભુત કુદરત છે. "બાંડિયાબેલી" જેને માંન્ડવ પ્રાકૃતિક વન પણ કહે છે. ચાલો મિત્રો આપને એ જગ્યાની સફર કરાવી દવ. બાંડિયાબેલીનું જંગલ થાનગઢનાં જગંલોમાં અંદરો-અંદર પથરાયેલું છે. જંગલની અંદર જ ૨૫થી ૩૦ કિલોમીટરનાં રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે. પથરાળ વિસ્તારમાં ફેલાયેલાં જંગલમાં નાનાં-નાનાં તળાવ તથા ચેકડેમ જોવા મળે છે. જંગલમાં નાના-મોટા અનેક વેકળાં(છીછરી નદીઓ) હોવાથી ખુબ જ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. બાંડિયાબેલીનું જંગલ થાનગઢનાં જગંલોમાં અંદરો-અંદર પથરાયેલું છે. અહી ખુબ જ સુંદર પક્ષીઓ અને પશુઓ વસવાટ કરે છે. બાંડિયાબેલી જગ્યા માં ગાયો પણ મોટી સંખ્યામાં રહે છે. પાંચાળ વિશેની બહુ પ્રચલિત કહેવત છે 
"ખડ પાણી અને ખાખરા, પત્થરનો નહીં પાર,
નર પટાદર નીત જે, દેવભુમિ પાંચાળ" 

વળી, આ ભુમિ કૃષ્ણની પટરાણી સત્યભામાનું મોસાળ અને દ્રોપદીનું પિયર હોઇ પૌરાણિક મંદિરો ઘણાં જોવા મળે છે મિત્રો આપ આ અદભુત કુદરત ને જાણવા અને માનવા અચૂક થી પધારશો. મિત્રો આપ સમક્ષ મેં કેદ કરેલા કુદરતી નજરા ને રજુ કરું છુ તો જરૂર થી નિહાળશો....