Sunday 3 February 2013

અદભુત કુદરત "landscape photography"



મિત્રો, હું હરતા ફરતા ફોટા તો પડતોજ રહું છુ. પણ હું ગમેત્યા ફરતો હોવ પણ મને બધેજ કુદરત દેખાય છે.દુનિયા માં પ્રભુ એ nature એટલે કે વ્રુક્ષ, ફળ, ફૂલ, પાંદ, પક્ષી,પશું, આ બધું જ નાં બનાવ્યું હોત તો આ દુનિયા જ ના હોત. આપડા થાનગઢ માં પણ અદભુત કુદરત છે. "બાંડિયાબેલી" જેને માંન્ડવ પ્રાકૃતિક વન પણ કહે છે. ચાલો મિત્રો આપને એ જગ્યાની સફર કરાવી દવ. બાંડિયાબેલીનું જંગલ થાનગઢનાં જગંલોમાં અંદરો-અંદર પથરાયેલું છે. જંગલની અંદર જ ૨૫થી ૩૦ કિલોમીટરનાં રસ્તાઓ બનાવવામાં આવ્યાં છે. પથરાળ વિસ્તારમાં ફેલાયેલાં જંગલમાં નાનાં-નાનાં તળાવ તથા ચેકડેમ જોવા મળે છે. જંગલમાં નાના-મોટા અનેક વેકળાં(છીછરી નદીઓ) હોવાથી ખુબ જ નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. બાંડિયાબેલીનું જંગલ થાનગઢનાં જગંલોમાં અંદરો-અંદર પથરાયેલું છે. અહી ખુબ જ સુંદર પક્ષીઓ અને પશુઓ વસવાટ કરે છે. બાંડિયાબેલી જગ્યા માં ગાયો પણ મોટી સંખ્યામાં રહે છે. પાંચાળ વિશેની બહુ પ્રચલિત કહેવત છે 
"ખડ પાણી અને ખાખરા, પત્થરનો નહીં પાર,
નર પટાદર નીત જે, દેવભુમિ પાંચાળ" 

વળી, આ ભુમિ કૃષ્ણની પટરાણી સત્યભામાનું મોસાળ અને દ્રોપદીનું પિયર હોઇ પૌરાણિક મંદિરો ઘણાં જોવા મળે છે મિત્રો આપ આ અદભુત કુદરત ને જાણવા અને માનવા અચૂક થી પધારશો. મિત્રો આપ સમક્ષ મેં કેદ કરેલા કુદરતી નજરા ને રજુ કરું છુ તો જરૂર થી નિહાળશો....























No comments:

Post a Comment